Tuesday, March 28, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યું, 15ના મોત, 40થી વધું લાપતાં… જાણો વાદળ ફાટે ત્યારે શું થાય, કેટલો વરસાદ પડે..??

અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યું, 15ના મોત, 40થી વધું લાપતાં… જાણો વાદળ ફાટે ત્યારે શું થાય, કેટલો વરસાદ પડે..??

by Admin
July 9, 2022
in ઇન્ડિયા લાઈવ
Reading Time: 1min read
A A
અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યું, 15ના મોત, 40થી વધું લાપતાં… જાણો વાદળ ફાટે ત્યારે શું થાય, કેટલો વરસાદ પડે..??
8
SHARES
Share on FacebookShare on Twitter

અમરનાથ ગુફાથી બે કિલોમીટર દૂર વાદળ ફાટ્યું છે. શુક્રવારે સાંજે ગુલમર્ગ નજીક વાદળ ફાટતાં અતિ ભારે વરસાદને પગલે અચાનક પુર આવ્યું હતું. અહીં પથ્થર અને કીચડ વહેવા માંડતાં ત્યાં યાત્રીઓ માટે બનાવાયેલા ચાલીસેક ટેન્ટને ભારે નૂકશાન પહોંચ્યું હતું. કેટલાક ટેન્ટ વહી ગયા તો કેટલાક ડટાઇ ગયા હતાં. આંખના પલકારે થયેલા આ દુર્ઘટનામાં પંદરથી વધુ યાત્રાળુંઓના મોત નીપજ્યા છે, જ્યારે ચાલીસથી વધું લાપતાં હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ત્યાં ઘણા લોકો ઘાયલ થયા છે. વાદળ ફાટવાની ઘટના અંગે જાણ થતાં જ એનડીઆરએફ (NDRF), એસડીઆરએફ (SDRF) અને અન્ય સહયોગી એજન્સીઓ સક્રિય થઈ છે. સ્થળ પર રાહત બચાવ કામગીરી હાથ ધરી હતી, જે આખી રાત ચાલી હતી.

વાદળ ફાટે ત્યારે કલાકમાં પડે છે 5 ઈંચ કરતા વધુ વરસાદ. જગતના સૌથી મોટા ક્લાઉડ બર્સ્ટનો રેકોર્ડ પણ છે ભારતના નામે છે.
અમરનાથ યાત્રા દરમિયાન વાદળ ફાટવા (ક્લાઉડ બર્સ્ટ) ની દુર્ઘટના નોંધાઈ છે. કેટલાક ભક્તોના મૃત્યુ પણ થયા છે. ભારતના પહાડી રાજ્યોમાં લગભગ દર વર્ષે આ રીતે વાદળ ફાટવાની ઘટના બનતી હોય છે. પહાડ પાસે વાદળ ભેગા થાય, એ પછી ભેજવાળી હવા વાદળોની આસપાસ આક્રમકતાપૂર્વક એકઠી થાય અને પછી પવન અચાનક પડી જાય. એટલે જાણે વાદળ તુટ્યુ હોય એમ તેમાંથી પાણીનો ધોધ વહી નીકળે.

#WATCH | Mountain Rescue Team (MRT) rescue work under progress after a cloud burst occurred in the lower reaches of the Amarnath Cave

(Source: J&K Police) pic.twitter.com/ianHJKVxFD

— ANI (@ANI) July 8, 2022

વાદળ ફાટે ત્યારે કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ નોંધાતો હોય છે. થોડી મિનિટોમાં જ એટલું બધુ પાણી પડી જાય છે કે એ દિવસો સુધી ચાલે. જોકે પહાડી વિસ્તાર હોવાથી મોટા ભાગે પાણી વહી જાય છે. પહાડી વિસ્તારમાં આટલો બધો વરસાદ પડે ત્યારે મોટી ખાનાખરાબી સર્જાયા વગર રહેતી નથી. કેમ કે પાણી વહેતું થાય ત્યારે ઢોળાવમાં કે તળેટીમાં જે કોઈ વસાહત હોય તેને તણાઈ જતી રોકી શકાતી નથી. વળી વાદળ ફાટવાની ઘટના એટલી બધી ઝડપી હોય છે કે ત્યાંથી બચી નીકળવું શક્ય બનતું નથી.

અમરનાથમાં પણ બાબા અમરનાથની ગુફા પાસેથી જ પાણી વહી નીકળ્યું હતુ. એટલે દર્શન માટે રાહ જોતા ભક્તો તંબુમાં જ હતા ત્યાં પાણી પહોંચી ગયુ હતું. ભારતમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર વગેરે રાજ્યોમાં નિયમિત રીતે વાદળ ફાટવાની ઘટના બને છે.
વાદળ ફાટવાની ઘટના મેદાની વિસ્તારમાં બનતી નથી. ઊંચાઈ પર અને ખાસ તો પહાડી વિસ્તારોમાં જ સર્જાતી હોય છે. ક્યારેક તો જે વાદળ ફાટે પંદર કિલોમીટર ઊંચુ હોય છે. વધુ ઊંચાઈથી વરસાદ પડે ત્યારે પાણીનું જોર પણ વધી જતું હોય છે. પર્વત ઉપરાંત રણ વિસ્તારમાં પણ વાદળ ફાટવાની ઘટના બનતી હોય છે. પરંતુ રણ વિસ્તારમાં ખાસ વસતી હોતી નથી માટે દુર્ઘટનાની પણ ખાસ નોંધ લેવાતી નથી.

2013માં ઉત્તરાખંડના કેદારનાથમાં હોનારત સર્જાઈ હતી અને 6 હજારથી વધારે લોકો માર્યા ગયા હતા તેની પાછળ વાદળ ફાટવાની ઘટના જ કારણભૂત હતી. 2005ની 26મી જુલાઈએ મુંબઈ પર વાદળ ફાટ્યું ત્યારે આઠેક કલાકમાં 950 મીલીમીટર કરતા વધારે વરસાદ પડ્યો હતો. 2010ના ઓગસ્ટમાં લેહમાં પણ વાદળ ફાટ્યું હતું. એ વખતે જ હવામાન શાસ્ત્રીઓએ ચેતવણી આપી હતી કે હવે વાદળ ફાટવાની ઘટના વધી રહી છે, માટે સાવધાન રહેવું જોઈએ. કેમ કે લેહ જેવા વિસ્તારમાં અગાઉ ક્યારેય વાદળ ફાટવાનો પ્રસંગ બન્યો ન હતો. વરસાદની રીતે જોઈએ તો વાદળ ફાટવાની સૌથી મોટી વૈશ્વિક ઘટનાનો રેકોર્ડ ભારતના નામે નોંધાયેલો છે. 1966ની 8મી જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં ગંગાના મેદાની પ્રદેશમાં 20 કલાકમાં 92 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આટલો વરસાદ આખી સિઝનમાં પણ પડતો હોતો નથી.
એક જમાનામાં એવુ માનવામાં આવતું આવતું હતું કે વાદળમાં ફુગ્ગાની જેમ પાણી ભરેલું હોય છે. એ ફુગ્ગામાં પંચર પડે અને ફાટે એટલે જમીન પાણી પાણી થઈ જાય. એ કલ્પનાના આધારે જ વાદળ ફાટવુ શબ્દ પ્રચલીત થયો છે.

Share3Tweet2Send
Previous Post

Shinzo Abe પહેલા પણ જાપાનના PMની થઇ હતી હત્યા, આ છે દુનિયાના એ મોટા રાજનેતાઓ જેમની જાહેરમાં કરાઇ હતી હત્યા…

Next Post

અમૃત ગણાય છે “મધ” !! પરંતુ સંભાળવજો, આ લોકો માટે તે મુસીબતની ખાણ સાબિત થઇ શકે…

Related Posts

દિલ્હીના ડે.સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલી વધશે.. જાસૂસી મામલે CBI નોંધશે કેસ..!! કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી મંજૂરી…
ઇન્ડિયા લાઈવ

દિલ્હીના ડે.સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલી વધશે.. જાસૂસી મામલે CBI નોંધશે કેસ..!! કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી મંજૂરી…

February 22, 2023
ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ શું છે.?  મકાઇ અને શેરડીનો કઇ રીતે થાય છે ઉપયોગ.. વાહન ચલાવવું કેટલું સસ્તુ થશે.. સમજો તમામ મહત્વના પાસાઓ…
ઇન્ડિયા લાઈવ

ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ શું છે.? મકાઇ અને શેરડીનો કઇ રીતે થાય છે ઉપયોગ.. વાહન ચલાવવું કેટલું સસ્તુ થશે.. સમજો તમામ મહત્વના પાસાઓ…

February 7, 2023
પિશાચી શક્તિ માટે ચેલાએ ચઢાવી ગુરુની બલિ..!! માથુ ફાડી લોહી પી ગયો, પ્રાઇવેટ પાર્ટમાં દંડો નાંખી સળગાવી દીધો…
ઇન્ડિયા લાઈવ

પિશાચી શક્તિ માટે ચેલાએ ચઢાવી ગુરુની બલિ..!! માથુ ફાડી લોહી પી ગયો, પ્રાઇવેટ પાર્ટમાં દંડો નાંખી સળગાવી દીધો…

February 6, 2023
મનોરોગી કરી આરોગ્યમંત્રીની હત્યા..!! ASIના બાયપોલર ડિસઓર્ડરથી લઈને ફાયરિંગ સુધી, ઓડિશાની ચકચારી મર્ડર મિસ્ટ્રી અંદરની વાત…
ઇન્ડિયા લાઈવ

મનોરોગી કરી આરોગ્યમંત્રીની હત્યા..!! ASIના બાયપોલર ડિસઓર્ડરથી લઈને ફાયરિંગ સુધી, ઓડિશાની ચકચારી મર્ડર મિસ્ટ્રી અંદરની વાત…

January 31, 2023
રામ મંદિર : ભગવાન શ્રીરામની મૂર્તિ માટે નેપાળથી આવી રહ્યા છે શાલીગ્રામ પથ્થર, આ નદીમાંથી જ મળે છે અનોખી શીલાઓ…
ઇન્ડિયા લાઈવ

રામ મંદિર : ભગવાન શ્રીરામની મૂર્તિ માટે નેપાળથી આવી રહ્યા છે શાલીગ્રામ પથ્થર, આ નદીમાંથી જ મળે છે અનોખી શીલાઓ…

January 29, 2023
લોંગ ડ્રાઈવ દરમિયાન પ્રેમિકા સાથે થયો ઝઘડો.. આવેશમાં આવી ડોકટરે 40 લાખની મર્સીડીઝ સળગાવી નાખી..!!
ઇન્ડિયા લાઈવ

લોંગ ડ્રાઈવ દરમિયાન પ્રેમિકા સાથે થયો ઝઘડો.. આવેશમાં આવી ડોકટરે 40 લાખની મર્સીડીઝ સળગાવી નાખી..!!

January 29, 2023
Next Post
અમૃત ગણાય છે “મધ” !!  પરંતુ સંભાળવજો, આ લોકો માટે તે મુસીબતની ખાણ સાબિત થઇ શકે…

અમૃત ગણાય છે "મધ" !! પરંતુ સંભાળવજો, આ લોકો માટે તે મુસીબતની ખાણ સાબિત થઇ શકે…

અમેરિકામાં 5 વર્ષની ગુજરાતી બાળકીની હત્યાનો કેસ.. નવસારીની મિયા પટેલને માથામાં ગોળી મારી હત્યા કરનારને 100 વર્ષની સજા…

અમેરિકામાં 5 વર્ષની ગુજરાતી બાળકીની હત્યાનો કેસ.. નવસારીની મિયા પટેલને માથામાં ગોળી મારી હત્યા કરનારને 100 વર્ષની સજા…

March 27, 2023
આર્થિક-શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ ઝેર પીધું.!! અશોક જૈન અને સાગર વાઘમારે સામે ગંભીર આરોપ..

આર્થિક-શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ ઝેર પીધું.!! અશોક જૈન અને સાગર વાઘમારે સામે ગંભીર આરોપ..

March 27, 2023
કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

March 23, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी