ગુજરાતમાં ધીરે-ધીરે કોરોના ગોકળગાયની ગતિએ આગળ વધી રહ્યો છે. સોમવારે સાંજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 351 કેસ નોંધાયા હતાં. જ્યારે 248 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં સતત 12માં દિવસે શૂન્ય મોત નોંધાયું હતું જ્યારે એક્ટિવ કેસનો આંક 2500ને પાર પહોંચી ગયો છે એવામાં સૌથી વધુ 158 કેસ અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે શહેરમાં અમદાવાદની ઉદગમ સ્કૂલમાં કોરોનાએ ફરીવાર માથું ઉચક્યું છે. ઉદગમ સ્કૂલના એક જ વર્ગના 4 વિદ્યાર્થીઓ સંક્રમિત થતા વાલીઓ ચિંતામાં મૂકાઇ ગયા છે. ધોરણ 7ના એક જ વર્ગના 4 વિદ્યાર્થીઓ સંક્રમિત થતા સ્કૂલ મેનેજમેન્ટમાં પણ ચિંતાગ્રસ્ત થઇ ગયું છે. જ્યારે અન્ય વર્ગમાં 5 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા કુલ 9 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કુલ 12,16,967 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. જ્યારે બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.90 ટકાએ પહોંચી ચૂક્યો છે. જો કે, રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતાઇથી લડી રહી છે. રાજ્યમાં ગઇકાલે કુલ 34,231 રસીના ડોઝ આપવામાં આવ્યા.
બીજી બાજી એક્ટિવ કેસની જો વાત કરીએ તો રાજ્યમાં કુલ 2566 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઈ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. એ સિવાય 2566 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,16,967 નાગરિકો માત આપી ચૂક્યાં છે. તો બીજી તરફ 10,946 નાગરિકોના કોરોનાના કારણે મોત થઇ ચૂક્યાં છે. જો કે ગઇકાલે કોરોનાના કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું.
રાજ્યમાં ગઇકાલે નોંધાયેલા કેસમાંથી અમદાવાદ કોર્પોરેશનમાં 155, સુરત કોર્પોરેશનમાં 71 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 30 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 12 કેસ, વલસાડમાં 11 કેસ, જામનગર કોર્પોરેશનમાં 9 કેસ, સુરતમાં 8 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 5 કેસ, ગાંધીનગરમાં 5 કેસ, ગાંધીનગરમાં 5 કેસ, જામનગરમાં 5 કેસ, ભરૂચમાં 4 કેસ, પાટણમાં 4 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 4 કેસ, અમદાવાદમાં 3 કેસ તો મોરબીમાં પણ 3કેસ, સુરેન્દ્રનગરમાં 3કેસ, કચ્છમાં 2 કેસ, મહેસાણામાં 2 કેસ, ભાવનગરમાં 1 કેસ, બોટાદમાં 1 કેસ, દેવભૂમિ દ્વારકામાં 1 કેસ, રાજકોટમાં 1 કેસ, સાબરકાંઠામાં 1 કેસ અને વડોદરામાં 1 એમ કુલ 351 જેટલાં કેસ નોંધાયા હતા. આ સાથે જ આરોગ્ય તંત્ર દ્વારા કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવા માટે તાકીદ કરવામાં આવી રહી છે.