ગોધરાકાંડમાં એ સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સુપ્રિમ કોર્ટે પણ ક્લીનચીટ આપી દીધી છે. આ ચૂકાદા સાથે જ સુપ્રિમ કોર્ટે આખું પ્રકરણ ઉભું કરનારા સામે તપાસનો આદેશ પણ કર્યો હતો. સુપ્રિમના આદેશને પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તિસ્તા સેતલવાડ સામે ગુનો નોધ્યો હતો. આ કેસમાં ગુજરાત ATSએ મુંબઈથી ધરપકડ કરી છે. ગુજરાત ATSએ તિસ્તા સેતલવાડની અટકાયત કરી સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. ત્યારબાદ તેમણે અમદાવાદ રોડ મારફતે લવાઈ રહ્યા છે. 2002ના ગોધરાકાંડ અંગે તિસ્તાને પકડી વધુ તપાસ કરવા સુપ્રીમકોર્ટે આદેશ આપ્યા છે. તિસ્તાએ રમખાણોના નામે ગુજરાતને બદનામ કર્યું છે. જાકીયા ઝાફરીની અરજીના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગુજરાત પોલીસે તિસ્તા સેતલવાડ પર નવી ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરી છે. કલમ 468, 471, 194, 211, 218 અને 120 બી મુજબ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી છે.

ગુજરાત એટીએસ શનિવારે સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડના ઘરે પહોંચી હતી. મળતી માહિતી મુજબ ગુજરાત ATSની બે ટીમો મુંબઈ પહોંચી હતી. એક ટીમ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન ગઈ હતી અને બીજી ટીમ મુંબઈ પોલીસ સાથે જુહુમાં તિસ્તા સેતલવાડના ઘરે ગઈ હતી. આ પછી ટીમે તેમણે કસ્ટડીમાં લીધા અને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ પોલીસ હાલમાં ગુજરાત પોલીસ દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજોની તપાસ કરી રહી છે. પછી એટીએસ સામાજિક કાર્યકરને તેમની સાથે અમદાવાદ હેડક્વાર્ટર લઈ જશે.
આ સાથે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ આઈપીએસ અધિકારી આર. બી શ્રીકુમારની ધરપકડ કરી છે. નોંધનીય છે કે ગુજરાત રમખાણોના કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ કેસમાં મુખ્યમંત્રીની બેઠકમાં હાજરી આપવાના દાવેદારોના નિવેદનો આ મામલામાં રાજકીય સનસનાટી પેદા કરનાર હતા. જોકે, સંજીવ ભટ્ટ, હિરેન પંડ્યા અને આરબી શ્રીકુમારે SIT સમક્ષ નિવેદનો આપ્યા હતા જે પાયાવિહોણા અને ખોટા સાબિત થયા હતા, કારણ કે તપાસમાં જાણવા મળ્યું હતું કે આ લોકો કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા માટે બોલાવવામાં આવેલી બેઠકમાં હાજર રહ્યા ન હતા.
જાકિયા ઝાફરીએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં એફિદેવટમાં ખોટી સહીઓ કરવાનો મામલે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ ગુજરાત પોલીસ આવી એક્શન મોડમાં આવી ગઈ હતી. શ્રી કુમાર, પૂર્વ આઇપીએસ અને સંજીવ ભટ્ટ અને તીસતા સેતલવાડ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો છે. પૂર્વ આઇપીએસ શ્રી કુમાર ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરંટથી જેલ ખાતેથી ધરપકડ કરશે.

*તિસ્તાની તપાસની જરૂરઃ સુપ્રિમ કોર્ટ
24 જૂનના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણો પર SITના રિપોર્ટ સામે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. આ અરજી ઝાકિયા જાફરીએ દાખલ કરી હતી. અરજીને ફગાવી દેતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે તિસ્તા સેતલવાડને વધુ તપાસની જરૂર છે, કારણ કે તિસ્તા આ કેસમાં ઝાકિયા જાફરીની લાગણીનો ગુપ્ત રીતે પોતાના ફાયદા માટે ઉપયોગ કરી રહી હતી. કોર્ટે કહ્યું હતું કે તિસ્તા સેતલવાડ આ કેસમાં એટલા માટે સતત ઘૂસતી રહી કારણ કે ઝાકિયા અહેસાન જાફરી આ સમગ્ર કેસમાં અસલી પીડિતા છે. જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમારની ખંડપીઠે આ નિર્ણય સંભળાવ્યો હતો. ઝાકિયા જાફરીની અરજી પર મેરેથોન સુનાવણી પૂર્ણ કર્યા બાદ સુપ્રીમ કોર્ટે સાત મહિના પહેલા 9 ડિસેમ્બર 2021ના રોજ નિર્ણય અનામત રાખ્યો હતો. ગુજરાત રમખાણોની તપાસ માટે રચાયેલી SITએ તત્કાલિન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપી હતી, જેઓ તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા.
ઉલ્લેખનીય છે કે, 2002ના ગુજરાત રમખાણો દરમિયાન ઝાકિયા જાફરીના પતિ એહસાન જાફરી જે તે સમયે કોંગ્રેસના ધારાસભ્ય હતા, જેઓ તોફાની ટોળા દ્વારા માર્યા ગયા હતા. ગુજરાત રમખાણો દરમિયાન ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં અહેસાન જાફરીનું પણ મોત થયું હતું. અહેસાન જાફરીની વિધવા ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને SITના રિપોર્ટને પડકાર્યો હતો. SITના રિપોર્ટમાં રાજ્યમાં ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકોને ક્લીનચીટ આપવામાં આવી હતી. એસઆઈટીએ ગોધરા ટ્રેન આગની ઘટના અને તે પછીના રમખાણોને ઉશ્કેરવા માટે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ કાવતરું હોવાનો ઇનકાર કર્યો હતો. 2017માં ગુજરાત હાઈકોર્ટે SITના ક્લોઝર રિપોર્ટ સામે ઝાકિયાની ફરિયાદને ફગાવી દીધી હતી.
તિસ્તા સેતલવાડ એક્ટિવિસ્ટ અને પત્રકાર છે. ગોધરાકાંડ બાદ ગુજરાતમાં થયેલા રમખાણોમાં તેણીએ ખાસ્સો એક્ટિવ રોલ પ્લે કર્યો હતો. ગોધરાકાંડ બાદ અમદાવાદમાં ફાટી નીકળેલા તોફાનો દરમિયાન ગુલમર્ગ સોસાયટીમાં ઘૂસેલા ટોળાએ જાકિયા જાફરીના MLA પતિ અહેસાન ઝાફરીને ભીડે મારી નાખ્યા હતા. આ પ્રકરણમાં તેણીએ ગોધરાકાંડમાં રાજકારણીઓ સામે ટ્રાયલની અરજી કરી હતી. જેમાં ગુજરાતના 62 રાજકારણી સામે ટ્રાયલ ચલાવવા માંગણી કરાઇ હતી. આ અરજીની સુનાવણીના અંતે ગોધરા કાંડ મામલે SCએ મોદીને આપી છે ક્લિન ચિટ. SCએ ગુજરાત મેજિસ્ટ્રેટનો આદેશ યથાવત રાખ્યો છે, સાથે એ પણ નોંધ્યું હતું કે તિસ્તાએ ઝાકિયા જાફરીની ભાવનાનું શોષણ કર્યું છે. અરજીકર્તા તિસ્તાએ જાકિયા જાફરીની લાગણીનો ગેરલાભ ઉઠાવ્યો હતો.