Tuesday, March 28, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » અમારી શિવસેના અસલી : શિંદેનો દાવો, ..તો હું રાજીનામુ આપવા તૈયારઃ ઠાકરે

અમારી શિવસેના અસલી : શિંદેનો દાવો, ..તો હું રાજીનામુ આપવા તૈયારઃ ઠાકરે

by Admin
June 22, 2022
in ઇન્ડિયા લાઈવ
Reading Time: 1min read
A A
અમારી શિવસેના અસલી : શિંદેનો દાવો, ..તો હું રાજીનામુ આપવા તૈયારઃ ઠાકરે
8
SHARES
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રમાં રાજકીય ધમાલ ચાલી રહી છે. શિવસેનામાં આંતરિક લડાઈ આરપાર ચાલી રહી છે. હવે પાર્ટીની સ્થિતિ ઉદ્ધવની શિવસેના વિરુદ્ધ એકનાથ શિંદેની શિવસેનાની થઈ ગઈ છે. એકનાથ શિંદેએ ચીફ વ્હિપ તરીકે ભરત ગોગાવલેની નિમણૂક કરી છે અને મુખ્યમંત્રી ઠાકરે દ્વારા નિયુક્ત કરવામાં આવેલી સુનીલ પ્રભુની નિમણૂંકને ગેરકાયદેસર ગણાવી દીધા છે. શિંદેએ દાવો કર્યો કે અમારી શિવસેના અસલી છે. બીજી તરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક ઉપર સંબોધન કરતાં જણાવ્યું હતું કે મને મુખ્યમંત્રી પદની લાલસા નથી, ધારાસભ્યો મારી સામે આવીને કહેશે તો હું રાજીનામુ આપવા તૈયાર છું.

એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકરને મોકલેલા પત્રમાં કહ્યુ કે સુનીલ પ્રભુ દ્વારા જે વ્હિપ જારી કરવામાં આવ્યું છે તે કાયદા પ્રમાણે ગેરકાયદેસર છે. શિંદે અસલી શિવસેના ખુદને ગણાવી રહ્યાં છે. 34 શિવસેના ધારાસભ્યોએ એકનાથ શિંદેના નેતૃત્વમાં પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે. એકનાથ શિંદેએ ટ્વીટ કરીને કહ્યુ કે શિવસેના ધારાસભ્ય ભરત ગોગાવલેને શિવસેના ધારાસભ્ય દળના ચીફ વ્હિપ બનાવવામાં આવ્યાં છે. કારણ છે કે સુનીલ પ્રભુ દ્વારા ધારાસભ્યોની આજની બેઠકના સંબંધમાં જારી આદેશ કાયદાકીય રીતે અમાન્ય છે. આ પહેલા એકનાથ શિંદેએ દાવો કર્યો હતો કે તેની તેમની પાસે 46 ધારાસભ્યો છે અને તે અસલી શિવસેના છે. શિંદેએ કહ્યું કે મને બળવાખોર ગણાવવામાં આવી રહ્યાં છે તે ખોટુ છે. અમે બધા લોકો બાલાસાહેબના ભક્ત છીએ, શિવસૈનિક છીએ.

આવા કટોકટી કાળે કોરોના સંક્રમિત થયેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફેસબુકના માધ્યમથી જનતાને સંબોધિત કરી હતી. ઠાકરેએ કહ્યું કે હું મારૂ રાજીનામુ આપવા માટે તૈયાર છું. મારી સામે આવો હું મારૂ રાજીનામુ આપી દઈશ. તે રાજીનામુ રાજભવન લઈ જાય, હું ન જઈ શકું કારણ કે મને કોવિડ છે. હું ફરીથી લડીશ. મને કોઈ વાતનો ડર નથી. મારી પાસે તે લોકો માટે પણ બધા જવાબ છે જે કહે છે કે આ બાલાસાહેબની શિવસેના નથી. કેટલાક લોકો કહે છે કે આ બાલાસાહેબની સેના નથી. હું શિવસેના પ્રમુખનું પદ છોડવા માટે પણ તૈયાર છું, પરંતુ જે લોકો મને નથી ઈચ્છતા તેણે સામે આવી વાત કરવી જોઈએ.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હું ઈચ્છુ છું કે કોઈ શિવસૈનિક જ મુખ્યમંત્રી બને. જો કોઈને લાગે છે કે હું મુખ્યમંત્રી ન રહુ તો હું તત્કાલ પદ છોડવા માટે તૈયાર છું. બસ એકવાર આવીને મને મળે અને કહે. હું દરેક શિવસૈનિકને તે કહેવા ઈચ્છુ છું. છેલ્લા અઢી વર્ષમાં મને જે પ્રેમ મળ્યો તે લગભગ ક્યારેય મળ્યો ન હશે.
રાજીનામુ આપવા તૈયાર છુંઃ ઠાકરે ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે હું મારૂ રાજીનામુ તૈયાર કરી દઉ છું. એકવાર તે ધારાસભ્યો આવે અને કહે કે તે મને સીએમ પદે જોવા માંગતા નથી. આ મારી કોઈ મજબૂરી નથી. આવા ઘણા પડકારો મેં જોયા છે. અમારી સાથે હજારો શિવસેના કાર્યકર્તા છે. આજે હું કોઈ પડકારથી ડરતો નથી. જેને તેમ લાગે છે કે હું શિવસેનાનું નેતૃત્વ નથી કરી શકતો તો હું શિવસેનાનું પ્રમુખ પદ છોડવા પણ તૈયાર છું.
ઠાકરેએ કહ્યુ કે, પાછલા દિવસોમાં અમે રામ મંદિરનો પ્રવાસ કર્યો હતો. તે દરમિયાન એકનાથ શિંદે અમારી સાથે હતા. બાલાસાહેબ ઠાકરેના મૃત્યુબાદ અમે 2014ની ચૂંટણી પોતાના દમ પર લડી અને હિન્દુત્વના મુદ્દા પર સફળતા હાસિલ કરી હતી. શિવસેના અને હિન્દુત્વ એક સિક્કાના બે પાસા છે.

Share3Tweet2Send
Previous Post

લાપતાં પત્રકાર વેરાવળમાં રાવળિયા બાપા મંદિર પાસે નદીકાંઠે મળ્યો, સર્કિટ હાઉસમાં પત્રકારોની મિંટિંગમાં મારામારી.!!

Next Post

સિલેક્શન ન થતાં પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબે કર્યો આત્મહત્યાનો પ્રયાસ, હાલત ગંભીર..

Related Posts

દિલ્હીના ડે.સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલી વધશે.. જાસૂસી મામલે CBI નોંધશે કેસ..!! કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી મંજૂરી…
ઇન્ડિયા લાઈવ

દિલ્હીના ડે.સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલી વધશે.. જાસૂસી મામલે CBI નોંધશે કેસ..!! કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી મંજૂરી…

February 22, 2023
ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ શું છે.?  મકાઇ અને શેરડીનો કઇ રીતે થાય છે ઉપયોગ.. વાહન ચલાવવું કેટલું સસ્તુ થશે.. સમજો તમામ મહત્વના પાસાઓ…
ઇન્ડિયા લાઈવ

ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ શું છે.? મકાઇ અને શેરડીનો કઇ રીતે થાય છે ઉપયોગ.. વાહન ચલાવવું કેટલું સસ્તુ થશે.. સમજો તમામ મહત્વના પાસાઓ…

February 7, 2023
પિશાચી શક્તિ માટે ચેલાએ ચઢાવી ગુરુની બલિ..!! માથુ ફાડી લોહી પી ગયો, પ્રાઇવેટ પાર્ટમાં દંડો નાંખી સળગાવી દીધો…
ઇન્ડિયા લાઈવ

પિશાચી શક્તિ માટે ચેલાએ ચઢાવી ગુરુની બલિ..!! માથુ ફાડી લોહી પી ગયો, પ્રાઇવેટ પાર્ટમાં દંડો નાંખી સળગાવી દીધો…

February 6, 2023
મનોરોગી કરી આરોગ્યમંત્રીની હત્યા..!! ASIના બાયપોલર ડિસઓર્ડરથી લઈને ફાયરિંગ સુધી, ઓડિશાની ચકચારી મર્ડર મિસ્ટ્રી અંદરની વાત…
ઇન્ડિયા લાઈવ

મનોરોગી કરી આરોગ્યમંત્રીની હત્યા..!! ASIના બાયપોલર ડિસઓર્ડરથી લઈને ફાયરિંગ સુધી, ઓડિશાની ચકચારી મર્ડર મિસ્ટ્રી અંદરની વાત…

January 31, 2023
રામ મંદિર : ભગવાન શ્રીરામની મૂર્તિ માટે નેપાળથી આવી રહ્યા છે શાલીગ્રામ પથ્થર, આ નદીમાંથી જ મળે છે અનોખી શીલાઓ…
ઇન્ડિયા લાઈવ

રામ મંદિર : ભગવાન શ્રીરામની મૂર્તિ માટે નેપાળથી આવી રહ્યા છે શાલીગ્રામ પથ્થર, આ નદીમાંથી જ મળે છે અનોખી શીલાઓ…

January 29, 2023
લોંગ ડ્રાઈવ દરમિયાન પ્રેમિકા સાથે થયો ઝઘડો.. આવેશમાં આવી ડોકટરે 40 લાખની મર્સીડીઝ સળગાવી નાખી..!!
ઇન્ડિયા લાઈવ

લોંગ ડ્રાઈવ દરમિયાન પ્રેમિકા સાથે થયો ઝઘડો.. આવેશમાં આવી ડોકટરે 40 લાખની મર્સીડીઝ સળગાવી નાખી..!!

January 29, 2023
Next Post
સિલેક્શન ન થતાં પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબે કર્યો આત્મહત્યાનો પ્રયાસ, હાલત ગંભીર..

સિલેક્શન ન થતાં પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબે કર્યો આત્મહત્યાનો પ્રયાસ, હાલત ગંભીર..

અમેરિકામાં 5 વર્ષની ગુજરાતી બાળકીની હત્યાનો કેસ.. નવસારીની મિયા પટેલને માથામાં ગોળી મારી હત્યા કરનારને 100 વર્ષની સજા…

અમેરિકામાં 5 વર્ષની ગુજરાતી બાળકીની હત્યાનો કેસ.. નવસારીની મિયા પટેલને માથામાં ગોળી મારી હત્યા કરનારને 100 વર્ષની સજા…

March 27, 2023
આર્થિક-શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ ઝેર પીધું.!! અશોક જૈન અને સાગર વાઘમારે સામે ગંભીર આરોપ..

આર્થિક-શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ ઝેર પીધું.!! અશોક જૈન અને સાગર વાઘમારે સામે ગંભીર આરોપ..

March 27, 2023
કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

March 23, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी