Thursday, March 30, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને રાહત, ડે.સ્પીકરની નોટિસ ઉપર સુપ્રિમકોર્ટ દ્વારા 11મી જુલાઈ સુધી રોક…

શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને રાહત, ડે.સ્પીકરની નોટિસ ઉપર સુપ્રિમકોર્ટ દ્વારા 11મી જુલાઈ સુધી રોક…

by Admin
June 27, 2022
in ઇન્ડિયા લાઈવ
Reading Time: 1min read
A A
શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને રાહત, ડે.સ્પીકરની નોટિસ ઉપર સુપ્રિમકોર્ટ દ્વારા 11મી જુલાઈ સુધી રોક…
8
SHARES
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદેના જૂથની 2 અલગ અલગ અરજીઓ પર સુનાવણી હાથ ધરાઈ છે. એક અરજી એકનાથ શિંદેએ દાખલ કરી છે જ્યારે બીજી અરજી બળવાખોર ધારાસભ્ય ભરત ગોગાવલે તરફથી કરવામાં આવી છે. બંને અરજીઓમાં ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. સૌથી પહેલા તો એ નોટિસને પડકારવામાં આવી છે જેમાં 16 બળવાખોરોની સદસ્યતા સમાપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યારે શિંદેને નેતા પદેથી દૂર કરવા તથા અજય ચૌધરીને ચીફ વ્હિપ નિયુક્ત કરવાના નિર્ણયને પણ પડકારવામાં આવ્યો છે. સુપ્રિમ કોર્ટે પ્રાથમિક સુનાવણી બાદ હવે 11મી જુલાઇની મુદત આપી છે. ત્યાં સુધી આ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની કાર્યવાહી 11મી જુલાઇ સુધી કરી શકાશે નહી.

અરજીની સુનાવણી હાથ ધરતાં સુપ્રીમ કોર્ટે સિંઘવીને એવો સવાલ કર્યો હતો કે, જે સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હોય તે કોઈ સદસ્યની અયોગ્યતાની કાર્યવાહી કઈ રીતે શરૂ કરી શકે. સુપ્રીમ કોર્ટે એવો સવાલ કર્યો હતો કે, ડેપ્યુટી સ્પીકર પોતાની સામેના પ્રસ્તાવમાં પોતે જ જજ કઈ રીતે બની ગયા? કોર્ટે સવાલ કર્યો હતો કે, શિંદેની ટીમે ઈ-મેઈલના માધ્યમથી ડેપ્યુટી સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ મોકલી હતી જેના પર ધારાસભ્યોના હસ્તાક્ષર હતા. જવાબમાં ડેપ્યુટી સ્પીકરના વકીલે કહ્યું કે, હા નોટિસ આવી હતી પણ તેને રદ કરવામાં આવી હતી.

ત્યારે કોર્ટે આકરા શબ્દોમાં કહ્યું હતું કે, ડેપ્યુટી સ્પીકર અને વિધાનસભા કાર્યાલયે એક એફિડેવિટ દાખલ કરવું પડશે. જણાવવું પડશે કે, ડેપ્યુટી સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ આવ્યો હતો કે નહીં. જો આવ્યો હતો તો તેને રિજેક્ટ શા માટે કરવામાં આવ્યો.

શિવસેનાના વકીલે 1992ના કિહોટો હોલોહન કેસનો હવાલો ટાંકી દલીલો કરવામાં આવી હતી. કોર્ટમાં દલીલ દરમિયાન શિવસેનાના અભિષેક મનુ સિંઘવીએ જીવનું જોખમ હોવાની વાત પાયાવિહોણી હોવાનો દાવો કર્યો હતો. સિંઘવીએ જણાવ્યું કે, 1992ના કિહોટો હોલોહન કેસમાં પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી સ્પીકર કોઈ નિર્ણય ન લે ત્યાં સુધી કોર્ટમાં કોઈ એક્શન ન થવી જોઈએ. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે એવો સવાલ કર્યો હતો કે, શું 1992ના કેસમાં પણ સ્પીકરની પોઝિશન સામે સવાલો ઉભા થયા હતા. ત્યારે સિંઘવીએ જણાવ્યું કે, રેબિયા કેસ પ્રમાણે સ્પીકર ભલે ખોટો નિર્ણય લે પરંતુ તેમના નિર્ણય બાદ જ કોર્ટ દખલ કરી શકે.

સુપ્રીમ કોર્ટમાં શિંદેની ટીમ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, 39 ધારાસભ્યો તેમના સાથે છે. આમ મહારાષ્ટ્ર સરકાર લઘુમતીમાં છે. તેમણે જણાવ્યું કે, જ્યારે ડેપ્યુટી સ્પીકરની છબિ જ શંકાના ઘેરામાં હોય તો તેઓ અયોગ્ય ઠેરવવાનો પ્રસ્તાવ કઈ રીતે લાવી શકે. પહેલા એ અરજીઓ પર સુનાવણી થવી જોઈએ જેમાં ડેપ્યુટી સ્પીકરને દૂર કરવાની માગણી કરવામાં આવી છે. ડેપ્યુટી સ્પીકર સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે એવો સવાલ કર્યો હતો કે, પહેલા હાઈકોર્ટમાં શા માટે ન ગયા. તેના જવાબમાં વકીલે કહ્યું કે, આ ગંભીર કેસ હતો માટે સીધા અહીં આવ્યા. શિંદેના વકીલે કહ્યું કે, આર્ટિકલ 32 પ્રમાણે અરજી કરી શકાય. અમારા સાથે પાર્ટી શિવસેનાના 39 ધારાસભ્યો છે. અમને ધમકીઓ આપવામાં આવે છે. જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. ઘર સહિતની અન્ય સંપત્તિઓને નુકસાન પહોંચાડવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, બળવાખોર ધારાસભ્યોએ 2 અરજી આપી છે. પહેલું તો તેમના જીવને જોખમ દર્શાવ્યું છે અને બીજું ડેપ્યુટી સ્પીકર દ્વારા તેમને ઓછો સમય આપવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું છે.

શિવસેનાના બાગી ધારાસભ્યોએ આજે સાંજે 5:00 વાગ્યા સુધીમાં અયોગ્ય ઠેરવવા અંગેની નોટિસનો જવાબ આપવાનો હતો. સુપ્રીમ કોર્ટે ડેપ્યુટી સ્પીકરની આ નોટિસ પર 11મી જુલાઈ સુધી રોક લાગતી હોવાનું જણાવ્યું. મતલબ કે હવે ત્યાં સુધી આ ધારાસભ્યોને અયોગ્ય નહીં ઠેરવી શકાય. એકનાથ શિંદેની અરજી પર સુપ્રીમ કોર્ટે લગભગ તમામ પક્ષોને નોટિસ આપી છે. તમામ પક્ષોએ 5 દિવસની અંદર આ નોટિસનો જવાબ આપવાનો છે. આગામી 11 જુલાઈના રોજ આ કેસની આગળની સુનાવણી હાથ ધરાશે. જે પક્ષોને નોટિસ પાઠવવામાં આવી છે તેમાં ડેપ્યુટી સ્પીકર, વિધાનસભાના સચિવ, કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર પોલી, શિવસેના ધારાસભ્ય દળના નેતા અજય ચૌધરી, સુનીલ પ્રભુ વગેરેનો સમાવેશ થાય છે.

સુપ્રીમ કોર્ટે સિંઘવીને એવો સવાલ કર્યો હતો કે, જે સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હોય તે કોઈ સદસ્યની અયોગ્યતાની કાર્યવાહી કઈ રીતે શરૂ કરી શકે. સુપ્રીમ કોર્ટે એવો સવાલ કર્યો હતો કે, ડેપ્યુટી સ્પીકર પોતાની સામેના પ્રસ્તાવમાં પોતે જ જજ કઈ રીતે બની ગયા? કોર્ટે સવાલ કર્યો હતો કે, શિંદેની ટીમે ઈ-મેઈલના માધ્યમથી ડેપ્યુટી સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ મોકલી હતી જેના પર ધારાસભ્યોના હસ્તાક્ષર હતા. જવાબમાં ડેપ્યુટી સ્પીકરના વકીલે કહ્યું કે, હા નોટિસ આવી હતી પણ તેને રદ કરવામાં આવી હતી.

ત્યારે કોર્ટે આકરા શબ્દોમાં કહ્યું હતું કે, ડેપ્યુટી સ્પીકર અને વિધાનસભા કાર્યાલયે એક એફિડેવિટ દાખલ કરવું પડશે. જણાવવું પડશે કે, ડેપ્યુટી સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ આવ્યો હતો કે નહીં. જો આવ્યો હતો તો તેને રિજેક્ટ શા માટે કરવામાં આવ્યો.
ઉપરાંત મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી પણ કોરોના સંક્રમણમાંથી સાજા થયા બાદ હોસ્પિટલમાંથી પરત આવ્યા છે. આ કારણે તેમની કાર્યવાહી પર પણ સૌની નજર છે. કોશ્યારીએ કેન્દ્રીય ગૃહ સચિવને પત્ર લખીને બળવાખોર ધારાસભ્યોના પરિવારોને તાત્કાલિક સુરક્ષા પૂરી પાડવાના નિર્દેશ આપ્યા છે.

Share3Tweet2Send
Previous Post

લગ્નના 2 મહિનામાં જ દાદી બનવાના સમચાર પછી નીતુ કપૂરે કહ્યું આવી વાત, જાણીને આલિયા-રણબીર થઈ જશો હેરાન…

Next Post

ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ : 5 મહિનામાં 25 કિલોમીટરની ટનલ તૈયાર કરી સર્જ્યો રેકોર્ડ…

Related Posts

દિલ્હીના ડે.સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલી વધશે.. જાસૂસી મામલે CBI નોંધશે કેસ..!! કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી મંજૂરી…
ઇન્ડિયા લાઈવ

દિલ્હીના ડે.સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલી વધશે.. જાસૂસી મામલે CBI નોંધશે કેસ..!! કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી મંજૂરી…

February 22, 2023
ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ શું છે.?  મકાઇ અને શેરડીનો કઇ રીતે થાય છે ઉપયોગ.. વાહન ચલાવવું કેટલું સસ્તુ થશે.. સમજો તમામ મહત્વના પાસાઓ…
ઇન્ડિયા લાઈવ

ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ શું છે.? મકાઇ અને શેરડીનો કઇ રીતે થાય છે ઉપયોગ.. વાહન ચલાવવું કેટલું સસ્તુ થશે.. સમજો તમામ મહત્વના પાસાઓ…

February 7, 2023
પિશાચી શક્તિ માટે ચેલાએ ચઢાવી ગુરુની બલિ..!! માથુ ફાડી લોહી પી ગયો, પ્રાઇવેટ પાર્ટમાં દંડો નાંખી સળગાવી દીધો…
ઇન્ડિયા લાઈવ

પિશાચી શક્તિ માટે ચેલાએ ચઢાવી ગુરુની બલિ..!! માથુ ફાડી લોહી પી ગયો, પ્રાઇવેટ પાર્ટમાં દંડો નાંખી સળગાવી દીધો…

February 6, 2023
મનોરોગી કરી આરોગ્યમંત્રીની હત્યા..!! ASIના બાયપોલર ડિસઓર્ડરથી લઈને ફાયરિંગ સુધી, ઓડિશાની ચકચારી મર્ડર મિસ્ટ્રી અંદરની વાત…
ઇન્ડિયા લાઈવ

મનોરોગી કરી આરોગ્યમંત્રીની હત્યા..!! ASIના બાયપોલર ડિસઓર્ડરથી લઈને ફાયરિંગ સુધી, ઓડિશાની ચકચારી મર્ડર મિસ્ટ્રી અંદરની વાત…

January 31, 2023
રામ મંદિર : ભગવાન શ્રીરામની મૂર્તિ માટે નેપાળથી આવી રહ્યા છે શાલીગ્રામ પથ્થર, આ નદીમાંથી જ મળે છે અનોખી શીલાઓ…
ઇન્ડિયા લાઈવ

રામ મંદિર : ભગવાન શ્રીરામની મૂર્તિ માટે નેપાળથી આવી રહ્યા છે શાલીગ્રામ પથ્થર, આ નદીમાંથી જ મળે છે અનોખી શીલાઓ…

January 29, 2023
લોંગ ડ્રાઈવ દરમિયાન પ્રેમિકા સાથે થયો ઝઘડો.. આવેશમાં આવી ડોકટરે 40 લાખની મર્સીડીઝ સળગાવી નાખી..!!
ઇન્ડિયા લાઈવ

લોંગ ડ્રાઈવ દરમિયાન પ્રેમિકા સાથે થયો ઝઘડો.. આવેશમાં આવી ડોકટરે 40 લાખની મર્સીડીઝ સળગાવી નાખી..!!

January 29, 2023
Next Post
ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ : 5 મહિનામાં 25 કિલોમીટરની ટનલ તૈયાર કરી સર્જ્યો રેકોર્ડ…

ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ : 5 મહિનામાં 25 કિલોમીટરની ટનલ તૈયાર કરી સર્જ્યો રેકોર્ડ…

જંત્રીના દર વધે તે પહેલાં આટલું કરી લો.. લાખો રૂપિયા બચી જશે..!! સરકારે કાઢી આપ્યો વચલો રસ્તો…

જંત્રીના દર વધે તે પહેલાં આટલું કરી લો.. લાખો રૂપિયા બચી જશે..!! સરકારે કાઢી આપ્યો વચલો રસ્તો…

March 30, 2023
પત્ની સાથે  આડાસંબંધ  રાખનારા  મિત્રને આપી  સરપ્રાઇઝ ગિફ્ટ.. ઘરે બોલાવ્યા બાદ ટુકડા કરી કેનાલમાં ફેંકી દીધો.!!

પત્ની સાથે આડાસંબંધ રાખનારા મિત્રને આપી સરપ્રાઇઝ ગિફ્ટ.. ઘરે બોલાવ્યા બાદ ટુકડા કરી કેનાલમાં ફેંકી દીધો.!!

March 30, 2023
બેફામ દોડતા વાહનોને હવે લેસર ગનની લગામ..!! મર્યાદા કરતાં વધુ સ્પીડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ થશે દંડાત્મક કાર્યવાહી…

બેફામ દોડતા વાહનોને હવે લેસર ગનની લગામ..!! મર્યાદા કરતાં વધુ સ્પીડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ થશે દંડાત્મક કાર્યવાહી…

March 30, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी