Thursday, June 1, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » સુરત જિલ્લા કક્ષાનું ‘ગરીબ કલ્યાણ સંમેલન’ યોજાયું : વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રવ્યાપી સંમેલનોમાં લાભાર્થીઓ સાથે ઈ-સંવાદ સાધ્યો

સુરત જિલ્લા કક્ષાનું ‘ગરીબ કલ્યાણ સંમેલન’ યોજાયું : વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રવ્યાપી સંમેલનોમાં લાભાર્થીઓ સાથે ઈ-સંવાદ સાધ્યો

by Admin
May 31, 2022
in ગુજરાત લાઈવ
Reading Time: 1min read
A A
સુરત જિલ્લા કક્ષાનું ‘ગરીબ કલ્યાણ સંમેલન’ યોજાયું : વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રવ્યાપી સંમેલનોમાં લાભાર્થીઓ સાથે ઈ-સંવાદ સાધ્યો
8
SHARES
Share on FacebookShare on Twitter

કેન્દ્રીય મંત્રી દર્શનાબેન તથા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સુરતના લાભાર્થીઓ સાથે સાધ્યો સંવાદ

રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓના અમલથી ગરીબોના જીવનમાં આમુલ પરિવર્તન આવ્યું: કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ

સરકારની અનેકવિધ યોજનાઓના લાભો જનજન સુધી પહોંચી રહ્યાં છે: નાણામંત્રી કનુભાઈ દેસાઈ

સુરતઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૮ વર્ષની પૂર્ણતાના અવસરે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજયમંત્રી શ્રીમતિ દર્શનાબેન જરદોશના અધ્યક્ષસ્થાને અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં સુરત જિલ્લાકક્ષાના ‘ગરીબ કલ્યાણ સંમેલન’નો કાર્યક્રમ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયો હતો. આ અવસરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રવ્યાપી ગરીબ કલ્યાણ સંમેલનોમાં જનકલ્યાણકારી યોજનાના લાભાર્થીઓ સાથે ઈ-સંવાદ સાધ્યો હતો.

આ કાર્યક્રમમાં મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ તથા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના, વન નેશન, વન રેશનકાર્ડ, ગરીબ કલ્યાણ અન્ન યોજના, PMJY યોજના, આયુષ્માન ભારત હેલ્થ અને વેલનેસ સેન્ટર તથા પ્રધાનમંત્રી મુદ્રા યોજના સહિતની ૧૩ જેટલી યોજનાઓના લાભાર્થીઓ સાથે રસપ્રદ વાર્તાલાપ કર્યો હતો. મંત્રીશ્રીઓએ લાભાર્થીઓને પ્રશ્નોત્તરી દ્વારા મળેલા લાભો થકી તેમના જીવનમાં આવેલા પરિવર્તન વિશે માહિતી મેળવી હતી.

કેન્દ્રીય ટેક્ષટાઇલ મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના આઠ વર્ષ પુર્ણ થઈ રહ્યા છે. અમારી સરકાર નવા સંકલ્પો, નવી ઉર્જા સાથે આગળ વધી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાખો નાગરિકોને આવાસો મળ્યા છે, તો પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ નિઃશુલ્ક સારવાર મળી રહી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓના અમલથી ગરીબોના જીવનમાં આમુલ પરિવર્તન આવ્યું છે. અમારી સરકારે સ્પષ્ટ ઈરાદાઓ, સાફ નિયત અને નેકીથી ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’થી યોજનાઓના સો ટકા લાભ આમજનતા સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે. કોઈ પણ લાભાર્થી સરકારી યોજનાઓના લાભોથી વંચિત રહી ન જાય તેવા મક્કમ ઈરાદા સાથે સરકાર આગળ વધી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓના લાભો જનજન સુધી પહોંચી રહ્યાં છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશની ચાર ટ્રિલીયન ઈકોનોમી પૈકી એક ટ્રિલીયનનો હિસ્સો માત્ર ગુજરાતનો રહ્યો છે. આઝાદીના અમૃત કાળે દેશના નાગરિકોને મૂળભુત સુવિધાઓ અને યોજનાઓના લાભો આપી તેમના જીવનમાં ઉન્નતિનો નવો ઉજાસ પાથરવાનું કાર્ય આ સરકારે કર્યું છે.

આ પ્રસંગે રાજયસભાના સાંસદ રમીલાબેન બારા, મેયર હેમાલીબેન બોઘાવાલા તથા જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ પટેલે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળના આઠ વર્ષ દરમિયાન કરવામાં આવેલા વિકાસકાર્યોની સિદ્ધિઓ વર્ણવી હતી. આ વેળાએ મહાનુભાવોના હસ્તે મહાનગરપાલિકાના આંગણવાડી તેડાગર બહેનોને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.

પ્રધાનમંત્રીના હિમાચલપ્રદેશના શિમલા ખાતેના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. કેન્દ્ર સરકારની ૧૩ જેટલી જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વડાપ્રધાનશ્રીએ વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિવેકભાઈ પટેલ, અરવિંદ રાણા, પ્રવિણભાઈ ઘોઘારી, સંગીતાબેન પાટીલ, ઈશ્વરભાઈ પરમાર, ડે.મેયર દિનેશ જોધાણી, સ્થાયી સમિતિના ચેરમેન પરેશભાઈ પટેલ, જિલ્લા કલેકટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિ, પદાધિકારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share3Tweet2Send
Previous Post

ફ્રેન્ચ ઓપનમાં હાર્યા બાદ ચીનની આ ખેલાડીએ કેમ કહ્યું કે કાશ હું પુરુષ હોત? જાણો

Next Post

અડાજણ ખાતે ‘સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન’ને ખૂલ્લું મૂકતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ

Related Posts

“ગૌમાંસ”ના સમોસા વેચવા જતો કોસાડીનો નામચીન ખાટકી ઇસ્માઇલ જીભાઇ ઝડપાયો.. સુલેમાન અને સાયમન વોન્ટેડ…
ગુજરાત લાઈવ

“ગૌમાંસ”ના સમોસા વેચવા જતો કોસાડીનો નામચીન ખાટકી ઇસ્માઇલ જીભાઇ ઝડપાયો.. સુલેમાન અને સાયમન વોન્ટેડ…

May 23, 2023
ખૂંખાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગુજરાત લાવવા માટેનો તખ્તો તૈયાર.. આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડીકેટ અંગે કરાશે તપાસ…
ગુજરાત લાઈવ

ખૂંખાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગુજરાત લાવવા માટેનો તખ્તો તૈયાર.. આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડીકેટ અંગે કરાશે તપાસ…

April 25, 2023
રો રો ફેરીમાં રચાયો બોગસ પેઢી ઉભી કરવાનો ખેલ..!!  ફેક ફર્મ રજીસ્ટ્રેશન માટે શરૂ કર્યું લોન નું તરકટ.. ભાવનગરનો અબ્દુલ અને આદિલ માસ્ટર માઇન્ડ…
ગુજરાત લાઈવ

રો રો ફેરીમાં રચાયો બોગસ પેઢી ઉભી કરવાનો ખેલ..!! ફેક ફર્મ રજીસ્ટ્રેશન માટે શરૂ કર્યું લોન નું તરકટ.. ભાવનગરનો અબ્દુલ અને આદિલ માસ્ટર માઇન્ડ…

April 24, 2023
ગર્લફ્રેન્ડના ફોટા મોબાઇલમાંથી ડિલીટ કરવાના ઝઘડામાં લોહી રેલાયું, ત્રણ ભાઇઓનો બે મિત્રો પર હુમલો, છાતીમાં ચપ્પુ મરાતા એકનું મોત…
ગુજરાત લાઈવ

ગર્લફ્રેન્ડના ફોટા મોબાઇલમાંથી ડિલીટ કરવાના ઝઘડામાં લોહી રેલાયું, ત્રણ ભાઇઓનો બે મિત્રો પર હુમલો, છાતીમાં ચપ્પુ મરાતા એકનું મોત…

April 21, 2023
પાનના ગલ્લેથી મળેલી 500ની નકલી નોટની તપાસ બેંગ્લોર પહોંચી..!! માઇલક 4.89 લાખની જાલી નોટ સાથે ઝડપાયો…
ગુજરાત લાઈવ

પાનના ગલ્લેથી મળેલી 500ની નકલી નોટની તપાસ બેંગ્લોર પહોંચી..!! માઇલક 4.89 લાખની જાલી નોટ સાથે ઝડપાયો…

April 19, 2023
ઓયોમાં રૂમ અને કોલગર્લના ચક્કરમાં  ફસાવી  લાખ્ખો રૂપિયા  પડાવી લેનારને પોલીસે કુરિયરબોય બની આબાદ ઝડપ્યો…
ગુજરાત લાઈવ

ઓયોમાં રૂમ અને કોલગર્લના ચક્કરમાં ફસાવી લાખ્ખો રૂપિયા પડાવી લેનારને પોલીસે કુરિયરબોય બની આબાદ ઝડપ્યો…

April 11, 2023
Next Post
અડાજણ ખાતે ‘સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન’ને ખૂલ્લું મૂકતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ

અડાજણ ખાતે 'સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન'ને ખૂલ્લું મૂકતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ

ધીરેન્દ્ર શાસ્ત્રીના જગદગુરુ રામભદ્રાચાર્ય છે 22 ભાષાના જાણકાર..!! માત્ર 2 મહિનાની ઉંમરે દ્રષ્ટિ ગુમાવી છતાં 80 કરતા વધુ ગ્રંથો રચ્યા…  અનેક કંઠસ્થ.!!

ધીરેન્દ્ર શાસ્ત્રીના જગદગુરુ રામભદ્રાચાર્ય છે 22 ભાષાના જાણકાર..!! માત્ર 2 મહિનાની ઉંમરે દ્રષ્ટિ ગુમાવી છતાં 80 કરતા વધુ ગ્રંથો રચ્યા… અનેક કંઠસ્થ.!!

May 31, 2023
ધોનીએ બંધ કરી દીધી હતી આંખો, CSK કેમ્પમાં છવાઈ ગયો સન્નાટો.!! આવો હતો છેલ્લી ઓવરનો રોમાંચ…

ધોનીએ બંધ કરી દીધી હતી આંખો, CSK કેમ્પમાં છવાઈ ગયો સન્નાટો.!! આવો હતો છેલ્લી ઓવરનો રોમાંચ…

May 30, 2023
જોડિયા ભાઈઓનો અનોખો રેકર્ડ… કદ, કાઢી, દેખાવ જ નહીં બોર્ડ એક્ઝામમાં માર્ક્સ પણ સરખા જ..!!!

જોડિયા ભાઈઓનો અનોખો રેકર્ડ… કદ, કાઢી, દેખાવ જ નહીં બોર્ડ એક્ઝામમાં માર્ક્સ પણ સરખા જ..!!!

May 26, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी