જૂનાગઢ : જૂનાગઢના માણાવદર પંથકમાં બે વર્ષના બાળકને ત્રણ કૂતરાઓએ ફાડી ખાધું હતું. માતા-પિતા ખેતરમાં કામ કરતાં હતાં ત્યારે ઓરડીમાં સૂતેલા બાળકને કૂતરાઓએ શિકાર બનાવ્યું હતું. આ બાળકીને સારવાર માટે જૂનાગઢની રેફરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન જ માસૂમ બાળકીનું મોત નીપજ્યુ હતુ. આ બનાવના કારણે આખા પંથકમાં અરેરાટી છવાઇ ગઇ હતી

મળતી માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના નાના વાટા ગામનો ખેત મજૂર પરિવાર કામ માટે જૂનાગઢના માણાવદરમાં આવ્યા હતા. જગદીશ રાઠવાના 2 વર્ષના રવિન્દ્ર નામનું બાળક પોતાના ઘર પાસે રમતો હતો. આ દરમિયાન 3 કુતરા તેની આસપાસ આવી ગયા હતા. જોતજોતામાં કૂતરાઓએ આ માસૂમ બાળકને ફાડી ખાધો હતો. બાદમાં જ્યારે કુતરાના અવાજના લીધે પરિવારના સભ્યો બહાર આવયા હતા. તાત્કાલિક પરિવારે બાળકને હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ બાળકનું મોત થયું હતું. કૂતરાઓએ બાળકને માથાના ભાગથી ઇજાગ્રસ્ત કરી દીધો હતો. આ દૂર્ઘટનામાં કૂતરાઓના અવાજને કારણે પરિવારને આ અંગેની જાણ થઇ હતી. જે બાદ આખા પંથકમાં ફફડાટ ફેલાયો હતો.

થોડા સમય પહેલા જ રાજકોટમાં ઢેબચડા ગામની સીમમાં કરુણ ઘટના બની છે. હડકાયાં કૂતરાએ બચકા ભરતા લોહી લુહાણ હાલતમાં સાહિલને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં લાવવામાં હતો. જોકે સારવાર દરમિયાન 9 માસના બાળક સાહિલનું મોત નિપજ્યું. માસુમ બાળકના મોતને પગલે સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ અંગેની વધુ વિગતો એવી હતી કે, ઠેબચડાની સીમમાં લક્ષ્મણભાઇની વાડીમાં ખેતમજૂરી કરતા અને મૂળ મધ્યપ્રદેશના વતની પારસભાઇ વસાવા પત્ની સહિતના પરિવારજનો વાડીમાં કામ કરી રહ્યા હતા.
તેમણે નવ માસના સાહિલને ઘોડિયામાં સુવડાવ્યો હતો, અચાનક જ કૂતરો ત્યાં આવી ગયો હતો અને ઘોડિયામાં સુતેલા સાહિલને કૂતરાએ ગળે બચકું ભરી લેતા મોત નીપજ્યું હતું. બાળકને બચાવવા જતાં સાહિલના પિતા સહિત બે લોકોને પણ કૂતરાએ બચકાં ભરતા બંનેને પણ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. કૂતરાએ સાહિલને ગળાના ભાગે ગંભીર ઇજા કરી હોવાથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે, તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.