Friday, March 24, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » પીટી ઉષા, ઇલૈયારાજા સહિત આ 4 દિગ્ગજ જશે રાજ્યસભા, નકવીના સ્થાને સ્મૃતિ ઈરાની બન્યા અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી, સિંધિયાને સ્ટીલ મંત્રાલય…

પીટી ઉષા, ઇલૈયારાજા સહિત આ 4 દિગ્ગજ જશે રાજ્યસભા, નકવીના સ્થાને સ્મૃતિ ઈરાની બન્યા અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી, સિંધિયાને સ્ટીલ મંત્રાલય…

by Admin
July 7, 2022
in ઇન્ડિયા લાઈવ
Reading Time: 1min read
A A
પીટી ઉષા, ઇલૈયારાજા સહિત આ 4 દિગ્ગજ જશે રાજ્યસભા, નકવીના સ્થાને સ્મૃતિ ઈરાની બન્યા અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી, સિંધિયાને સ્ટીલ મંત્રાલય…
8
SHARES
Share on FacebookShare on Twitter

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિએ કેન્દ્રીય મંત્રીપરિષદમાંથી મુખ્તાર અબ્બાસ નકવી અને આરસીપી સિંહના રાજીનામાનો તત્કાલ પ્રભાવથી સ્વીકાર કરી લીધો છે. સાથે સ્મૃતિ ઈરાનીને તેમના વર્તમાન પોર્ટફોલિયો સિવાય અલ્પસંખ્યક મામલાના મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તો જ્યોતિરાદિત્ય સિંધિયાને સ્ટીલ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો ઉપર નોમિનેશન પ્રક્રિયા પણ શરુ કરાઇ છે. દેશની મહાન એથલીટ પીટી ઉષાને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. પીટી ઉષા સાથે ફિલ્મ કંપોઝર અને સંગીતકાર ઇલૈયારાજા, વીરેન્દ્ર હેગડે અને વી. વિજયેન્દ્ર પ્રસાદને પણ રાજ્યસભા મોકલવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ ટ્વીટ કરી આ જાણકારી આપી છે.

રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર અખબારી યાદી પ્રમાણે પ્રધાનમંત્રીની સલાહ પર રાષ્ટ્રપતિએ નિર્દેશ આપ્યા છે કે કેન્દ્રીય મહિલા તથા બાળ વિકાસ મંત્રી સ્મૃતિ જુબિન ઈરાનીને અલ્પસંખ્યક મામલાના મંત્રાલયનો પણ પ્રભાવ સોંપવામાં આવે. કેબિનેટ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમના નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સાથે સ્ટીલ મંત્રાલયનો પ્રભાર પણ સોંપવામાં આવ્યો છે.

પીએમ મોદીએ બંને મંત્રીઓની કરી પ્રશંસા
આ પહેલા આજે કેબિનેટ બેઠક દરમિયાન પીએમ મોદીએ મુખ્તાર અબ્બાસ નકવી અને આરસીપી સિંહ બંનેની તેમના મંત્રી કાર્યકાળ દરમિયાન આપેલા યોગદાન માટે પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીની પ્રશંસાને તે રૂપમાં જોવામાં આવી કે આજે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બંને નેતાઓ માટે છેલ્લી હતી.
બંને નેતાઓનો રાજ્યસભાના સભ્યના રૂપમાં કાર્યકાળ સાત જુલાઈ એટલે કે ગુરૂવારે પૂર્ણ થઈ રહ્યો છે. બંને મંત્રીઓએ બંધારણીય દાયિત્વને પૂરા કરવા માટે પોતાનું રાજીનામુ સોંપી દીધુ કારણ કે શુક્રવારથી તે સાંસદ રહેશે નહીં. ભાજપના વરિષ્ઠ નેતા મુખ્તાર અબ્બાસ નકવી રાજ્યસભાના ઉપનેતા પણ રહ્યા છે. તો આરસીપી સિંહ જેડીયૂ કોટાથી મોદી કેબિનેટમાં મંત્રી હતી. નકવીના રાજીનામા બાદ હવે કેન્દ્રમાં કોઈ મુસ્લિમ મંત્રી હશે નહીં અને ભાજપના લગભગ 400 સાંસદ સભ્યોમાંથી કોઈ મુસ્લિમ સાંસદ હશે નહીં.

પીએમ મોદીએ પીટી ઉષા વિશે જાણકારી આપતા જણાવ્યુ કે પીટી ઉષાને રમતમાં તેની સિદ્ધિઓને વ્યાપક રૂપથી ઓળખવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં નવા એથલીટોનું માર્ગદર્શન કરવા માટે તેમનું કામ એટલું જ પ્રશંસાપાત્ર છે. તેમને રાજ્યસભા માટે નોમિનેટ કરવા માટે શુભેચ્છા.
ઇલૈયારાજા વિશે જણાવતા પીએમ મોદીએ જણાવ્યુ કે તેમણે પેઢી દર પેઢી લોકોને મંત્રમુગ્ધ કર્યા છે. તેમના રચનાઓ અનેક ભાવનાઓની સુંદરતાને દર્શાવે છે. તેઓ એક વિનમ્ર પૃષ્ઠભૂમિથી આવ્યા અને ઘણું મેળવ્યું. ખુશી છે કે તેમને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

વીરેન્દ્ર હેગડેને પણ રાજ્યસભા મોકલવામાં આવી રહ્યા છે. તેમના વિશે જાણકારી આપતા પીએમ મોદીએ જણાવ્યુ કે સામુદાયિક સેવામાં સૌથી આગળ છે. મને ધર્મસ્થળ મંદિરમાં પ્રાર્થના કરવા અને સ્વાસ્થ્ય, શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં તેમના દ્વારા કરવામાં આવી રહેલા મહાન કાર્યોને જોવાની તક મળી છે. તે ચોક્કસપણે સંસદીય કાર્યવાહીને સમૃદ્ધ કરશે.
આ ત્રણ લોકો સિવાય વી વિજયેન્દ્ર પ્રસાદને પણ રાજ્યસભા મોકલવામાં આવી રહ્યા છે. તેમના વિશે પીએમ મોદીએ કહ્યુ કે, તે દાયકાઓથી રચનાત્મક દુનિયા સાથે જોડાયેલા છે. તેમની રચનાઓ ભારતની ગૌરવશાળી સંસ્કૃતિને પ્રદર્શિત કરે છે અને વિશ્વ સ્તર પર પોતાની ઓળખ બનાવી ચુકી છે. તેમને રાજ્યસભામાં નોમિનેટ કરવા માટે શુભેચ્છા.

Share3Tweet2Send
Previous Post

મારો પતિ અને દિયર મને વાઇફ સ્વેપિંગ પાર્ટીમાં લઇ જાય છે અને… મહિલાએ પોલીસ કેસ દાખલ કર્યો

Next Post

અફઘાનિસ્તાન : તાલિબાનોએ તેમના સ્થાપક મુલ્લા ઉમરની કારને 21 વર્ષે જમીનમાંથી ખોદી બહાર કાઢી..!!

Related Posts

દિલ્હીના ડે.સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલી વધશે.. જાસૂસી મામલે CBI નોંધશે કેસ..!! કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી મંજૂરી…
ઇન્ડિયા લાઈવ

દિલ્હીના ડે.સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલી વધશે.. જાસૂસી મામલે CBI નોંધશે કેસ..!! કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી મંજૂરી…

February 22, 2023
ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ શું છે.?  મકાઇ અને શેરડીનો કઇ રીતે થાય છે ઉપયોગ.. વાહન ચલાવવું કેટલું સસ્તુ થશે.. સમજો તમામ મહત્વના પાસાઓ…
ઇન્ડિયા લાઈવ

ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ શું છે.? મકાઇ અને શેરડીનો કઇ રીતે થાય છે ઉપયોગ.. વાહન ચલાવવું કેટલું સસ્તુ થશે.. સમજો તમામ મહત્વના પાસાઓ…

February 7, 2023
પિશાચી શક્તિ માટે ચેલાએ ચઢાવી ગુરુની બલિ..!! માથુ ફાડી લોહી પી ગયો, પ્રાઇવેટ પાર્ટમાં દંડો નાંખી સળગાવી દીધો…
ઇન્ડિયા લાઈવ

પિશાચી શક્તિ માટે ચેલાએ ચઢાવી ગુરુની બલિ..!! માથુ ફાડી લોહી પી ગયો, પ્રાઇવેટ પાર્ટમાં દંડો નાંખી સળગાવી દીધો…

February 6, 2023
મનોરોગી કરી આરોગ્યમંત્રીની હત્યા..!! ASIના બાયપોલર ડિસઓર્ડરથી લઈને ફાયરિંગ સુધી, ઓડિશાની ચકચારી મર્ડર મિસ્ટ્રી અંદરની વાત…
ઇન્ડિયા લાઈવ

મનોરોગી કરી આરોગ્યમંત્રીની હત્યા..!! ASIના બાયપોલર ડિસઓર્ડરથી લઈને ફાયરિંગ સુધી, ઓડિશાની ચકચારી મર્ડર મિસ્ટ્રી અંદરની વાત…

January 31, 2023
રામ મંદિર : ભગવાન શ્રીરામની મૂર્તિ માટે નેપાળથી આવી રહ્યા છે શાલીગ્રામ પથ્થર, આ નદીમાંથી જ મળે છે અનોખી શીલાઓ…
ઇન્ડિયા લાઈવ

રામ મંદિર : ભગવાન શ્રીરામની મૂર્તિ માટે નેપાળથી આવી રહ્યા છે શાલીગ્રામ પથ્થર, આ નદીમાંથી જ મળે છે અનોખી શીલાઓ…

January 29, 2023
લોંગ ડ્રાઈવ દરમિયાન પ્રેમિકા સાથે થયો ઝઘડો.. આવેશમાં આવી ડોકટરે 40 લાખની મર્સીડીઝ સળગાવી નાખી..!!
ઇન્ડિયા લાઈવ

લોંગ ડ્રાઈવ દરમિયાન પ્રેમિકા સાથે થયો ઝઘડો.. આવેશમાં આવી ડોકટરે 40 લાખની મર્સીડીઝ સળગાવી નાખી..!!

January 29, 2023
Next Post
અફઘાનિસ્તાન : તાલિબાનોએ તેમના સ્થાપક મુલ્લા ઉમરની કારને 21 વર્ષે જમીનમાંથી ખોદી બહાર કાઢી..!!

અફઘાનિસ્તાન : તાલિબાનોએ તેમના સ્થાપક મુલ્લા ઉમરની કારને 21 વર્ષે જમીનમાંથી ખોદી બહાર કાઢી..!!

કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

March 23, 2023
શુકુલ ગૃપ ના કરોડોના ઉઠમણામાં વધુ બે ડાયરેક્ટર ઝડપાયા.. સુરતમાં 2.43 કરોડના ફ્રોડમાં ઇકો સેલ દ્વારા કાર્યવાહી…

શુકુલ ગૃપ ના કરોડોના ઉઠમણામાં વધુ બે ડાયરેક્ટર ઝડપાયા.. સુરતમાં 2.43 કરોડના ફ્રોડમાં ઇકો સેલ દ્વારા કાર્યવાહી…

March 23, 2023
‘કિસી કા ભાઈ કિસી કી જાન’   મેગાસ્ટાર સલમાન ખાને ગાયું નવું સોન્ગ, ટીઝર જોઈ ફેન્સ થયા ઈમ્પ્રેસ, બોલી ઉઠ્યા વાહ, ભાઇજાન…

‘કિસી કા ભાઈ કિસી કી જાન’ મેગાસ્ટાર સલમાન ખાને ગાયું નવું સોન્ગ, ટીઝર જોઈ ફેન્સ થયા ઈમ્પ્રેસ, બોલી ઉઠ્યા વાહ, ભાઇજાન…

March 22, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी